

અમદાવાદ મનપા ને 735, સુરત ને 569, રાજકોટ ને 172 કરોડ તેમજ જામનગર મનપા ને 109 કરોડ. જયારે ભાવનગર,જૂનાગઢ,ગાંધીનગર નપા ને અનુક્રમે 94, 31, 37 કરોડ ફાળવવામાં આવ્યા અને રાજ્ય ની શહેરી વિકાસ સત્તા મંડળો ને 58 કરોડ ફાળવવામાં આવ્યા.

આ ચેક ફાળવણી ના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ખાસ ધ્યાન દોરતા ચૂંટાયેલી પાંખ ના ધારાસભ્યો સહીત ના અન્ય તમામ પ્રતિનિધિઓ અને હોદેદારોને કહ્યું કે આપના મતવિસ્તારમાં લોકો ના કામો કરવા ઉપર ખાસ ધ્યાન આપો.તેમણે એ પણ કહ્યું કે તમે કોઈ સંવૈધાનિક પદ ઉપર બેસો અને પછી જે વોર્ડ કે મતવિસ્તાર માં થી ચૂંટાયા હોય એજ વોર્ડ કે મતવિસ્તાર નું કામ કરવાનું એવું ના હોય.
તેમણે કહ્યં કે કોઈ કામ એકાદ બે મહિના મોડું થાય તો વાંધો નહિ, પરંતું કામ ની ક્વોલિટી માં કોઈ કસર ન રેહવી જોઈએ.
ગાંધીનગર માં વીકસીત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન મુખ્યમંત્રી શ્રી એ કહ્યું કે એક રૂપિયો પણ આમ નો તેમ ન થવો જોઈએ, મતલબ જે કામ માટે રૂપિયા ની ફાળવણી થઈ છે તેજ કામ માં ઉપયોગ કરવો બીજા કામ માં નહિ.






