સુરત શહેર મા મેટ્રો ની કામગીરી પૂર જોશમા ચાલી રહી છે. દરમ્યાન પાલનપુર જકાતનાકા, સરોજિની નાયડુ શાક માર્કેટ ની સામે મેટ્રો ની જે કામગીરી ચાલી રહી છે, ત્યાથી ગત રોજ એક ડેડ બોડી મળી આવતા અનેક પ્રકારના તર્ક વિતર્ક થઇ રહ્યા છે, મૃતક નું નૈસર્ગીક મૃત્યુ છે કે કોઈએ જાણી બુજી ને એનું જીવન ટૂંકાવ્યું છે તે હજી સ્પષ્ટ નથી થઇ શક્યું. મૃતકનુ નામ સંતોષ ભાવ કુલે છે. અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તાપસ કરી રહી છે. મૃતક મૂળ ક્યાં નો વાતની છે, તેનો પરિવાર છે કે નહિ, વિગેરે બાબત હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી.










